રાજકોટ અગ્નિકાંડ મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી: કોર્ટે ગુજરાત સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને ફટકારી નોટિસ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27052024_075755_HC 123.webp)
- 27 May, 2024
ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આ મામલે જણાવ્યું હતું કે આ બાબતે આદેશ આપવામાં આવ્યો હોવા છતાં નિયમોનું પાલન શાં માટે કરાયુ નથી. કોર્ટે વધુમાં ઝાટકણી કાઢતા કહ્યું કે આદેશનું પાલન ન થવાના પગલે અગ્નિકાંડ સર્જાયો હતો. કોર્ટે ગેમઝોનની મંજૂરી અંગે પણ સવાલ કર્યા હતા કે શું ગેમઝોનની મંજૂરી લેવામાં આવી હતી. શું ગેમઝોનમાં ફાયર સેફટીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. શાં માટે ફાયર સેફટીને ધ્યાનમાં જ લેવામાં આવી નહોતી.
રાજકોટમાં સર્જાયેલ ગેમ ઝોન અગ્રિકાંડ મામલે હાઈકોર્ટ દ્વારા મનપા કમિશ્નરને નોટીસ ફટકારવામાં આવી છે. હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશ્નરને નોટીસ આપી જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે તમને શા માટે અમારે જવાબદાર ન ગણવા તેનો જવાબ આપે. રાજકોટ મનપા તમારા બચાવ માટે કોર્ટમાં જવાબ આપો. તેમજ ફાયર સેફ્ટી વિના હાઈકોર્ટ નહી ચલાવી લે.
વધુમાં હાઈકોર્ટે કહ્યું કે, આદેશ છતાં મહાનગરપાલિકાએ બેદરકારી દાખવી તેવું સમજીએ? 4 વર્ષમાં 6 મોટી દુર્ઘટનાં બની ત્યારે મહારનગરપાલિકાએ શું કર્યું? દુર્ઘટનામાં લોકોના મોત અંગે તંત્રએ શું કાર્યવાહી કરી? આપણે માણસો છીએ મીડિયા અહેવાલોની અસર થાય જ છે. તંત્રએ મીડિયાનાં અહેવાલને પણ માની રહ્યું નથી. આવી ઘટનાઓમાં તંત્રએ ગંભીર થવાની જરૂર છે.
કાલે એટલે કે રવિવારે કોર્ટે કહ્યું હતું કે આ એક માનવ સર્જિત દુર્ઘટનાં છે. આ ગેમ ઝોન લોકોની સુરક્ષા માટે ખૂબ જ ભયજનક છે. રાજકોટમાં થયેલ દુર્ઘટના પર સખ્ત કર્યવાહી કરતા હાઈકોર્ટે એક દિવસમાં રિપોર્ટ માંગ્યો હતો. તેમજ અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટ મહાનગર પાલિકા પાસે જવાબ માંગ્યો હતો. અને પૂછ્યું હતું કે ક્યાં નિયમ હેટળ આ પ્રમાણેનું સંચાલન થઈ રહ્યું છે. રાજકોટ દુર્ઘટનામાં 33 લોકોએ જીવ ગુમાવ્યો છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાને લઈ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર બાબતે ક્રાઈમ બ્રાંચમાં બેઠક મળી હતી. તેમજ સસ્પેન્ડ અધિકારીઓની જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા પૂછપરછ કરાઈ છે. જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી પૂછપરછ કરશે.